KARMAGRANTH PART – 3 @ 9:55AM, TUE-THU& SAT

જિનશાસનની આ વિશ્વને અદ્ભુત ભેટ છે કર્મવિજ્ઞાન. આ કર્મ વિજ્ઞાનને અદ્ભૂત રીતે સમજાવાયુ છે કર્મગ્રંથમાં. વિશ્વની એક પણ સમસ્યા એવી નથી જેનું સમાધાન કર્મગ્રંથમાં ન હોય. જગતનો એક પણ પ્રશ્ન એવો નથી જેનો જવાબ કર્મગ્રંથમાં ન હોય. સંસારમાં આવતી આધિ-વ્યાધિ અને ઉપાધિને વર્જન કરી સુખ-શાંતિ અને સમાધિનું સર્જન કરવાની ચાવી એટલે કર્મગ્રંથનો અભ્યાસ. તો શું સાચા અર્થેમાં સુખનું સ્થાન મેળવવું છે ? સકલ પર પદાર્થની પર થઇ સ્વનું સ્વરૂપ સમજવું છે ? જો હા તો આજે કર્મગ્રંથના અભ્યાસમાં જોડાઇ જઇએ.
કર્મગ્રંથમાં શું આવશે એ ન પુછો પણ શું નહિ આવે એ પુછો. …. બધુંજ આવશે કર્મગ્રંથમા….. પામરમાંથી પરમાત્મા સુધીની યાત્રા, જીવમાંથી શિવ બનવાની યાત્રા, નરમાંથી નારાયણ બનવાની યાત્રા એટલે કર્મગ્રંથનો અભ્યાસ.
Course Features
- Lectures 1
- Quizzes 0
- Duration 20 hours
- Skill level All levels
- Language Gujarati
- Students 26
- Assessments Yes